દોસ્તો,

આપ સહુ જાણો છો કે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણી મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભાવનગરમાં કરેલી. આ ઉજવણીના અવસરે ભાવનગરમાં અનેક વિધ કાર્યક્રમો યોજાયેલા. ભાવનગરના ચિત્રકારોને ઘોઘાસર્કલના બગીચા ફરતે એક કેન્વાસ પર સવારથી સાંજ સુધીમાં એક ચિત્ર દોરવા માટેનું આહ્વાન અપાયેલું. આપણે અહીં રોજ એક ચિત્ર માણશું. આ ચિત્ર જોઈને આપના મનમાં કેવા ભાવો ઉઠ્યા તે ઈચ્છા થાય તો પ્રતિભાવ બોક્ષમાં જણાવી શકો છો.