દોસ્તો,
આપ સહુ જાણો છો કે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણી મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભાવનગરમાં કરેલી. આ ઉજવણીના અવસરે ભાવનગરમાં અનેક વિધ કાર્યક્રમો યોજાયેલા. ભાવનગરના ચિત્રકારોને ઘોઘાસર્કલના બગીચા ફરતે એક કેન્વાસ પર સવારથી સાંજ સુધીમાં એક ચિત્ર દોરવા માટેનું આહ્વાન અપાયેલું. આપણે અહીં રોજ એક ચિત્ર માણશું. આ ચિત્ર જોઈને આપના મનમાં કેવા ભાવો ઉઠ્યા તે ઈચ્છા થાય તો પ્રતિભાવ બોક્ષમાં જણાવી શકો છો.
Atul Jani (Agantuk)
માર્ચ 22, 2012 પર 10:18 એ એમ (am)
યુગવર્તી મહાવીરોથી શોભે ભવ્ય ભારત ખંડ
ગાયે ગાથા આ રણભૂમિ ધરી ધરી આનંદ
સુણે સુભદ્રા શ્રીકૃષ્ણ મુખે મહા સાહસોના રંગ
ગર્ભમાં ઝીલી સંસ્કાર યુધ્ધના હરખે અંગે અંગ
ઝૂલે પારણે લાલો વહાલો , વીર પાર્થનો પ્યાર
વદને ચમકે ક્ષાત્ર તેજનો કસુંબલ પુંજ અપાર
હલાવે ભૂજા જાણે આવ્યો સાહસનો અવતાર
રમતો ઊછળી સુભદ્રાનો સિંહ અભિમન્યુ બાળ
યુધ્ધ અભ્યાસે કૌશલ્યથી શીખતો સઘળા દાવ
ગગન ગજવતો પરાક્રમે જાણે સિંહ સંતાન
રથ ને ગજ લઈ ઘૂમતો અતિ વિકટ વનવાટ
પાંડવ યદુકુળ અંશને દિઠો સાહસનો સમ્રાટ
http://drmanwish.wordpress.com/category/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7%E0%AA%BE/%E0%AA%B6%E0%AB%8C%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%97%E0%AB%80%E0%AA%A4/