ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: શુભ

શુભે ન હર્ષ
અશુભે નહીં શોક
તે સ્થિતપ્રજ્ઞ

સારું માઠું પામતાં ચંચલ જે ના થાય,
શોક કરે કે ના હસે, જ્ઞાની તે જ ગણાય.

यः सर्वत्रानभिस्नेहस्तत्तत्प्राप्य शुभाशुभम्‌ ।
नाभिनंदति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥

भावार्थ : जो पुरुष सर्वत्र स्नेहरहित हुआ उस-उस शुभ या अशुभ वस्तु को प्राप्त होकर न प्रसन्न होता है और न द्वेष करता है, उसकी बुद्धि स्थिर है ॥57॥

જેની પ્રજ્ઞા આત્મામાં સ્થિત છે તે શુભ ઘટના ઘટે તો હર્ષથી ગદ ગદીત નથી થતો કે કશીક અશુભ ઘટના ઘટે તો શોક ગ્રસ્ત નથી થઈ જતો.

ક્રીકેટમાં ભારતની ટીમ વર્લ્ડકપ જીતી આવે તો તે ફટાકડાં નથી ફોડવા લાગતો કે ભવનાથના મેળામાં ભીડ, ટોળાં અને અવ્યવસ્થાને લીધે લોકો દબાઈ જાય કે બેભાન થઈ જાય તો તે શોક ગ્રસ્ત નથી થઈ જતો. સારી માઠી કોઈ પણ પરિસ્થિતિ દરમ્યાન તે સમજે છે કે પ્રત્યેક ઘટના કાર્ય – કારણના નિયમ અનુસાર ઘટે છે. હંમેશા કશુંક શુભ અને અશુભ ઘટવાનું જ છે. આ બધી જ ઘટનાઓ પ્રકૃતિમાં ઘટે છે. પ્રકૃતિના અધિષ્ઠાન બ્રહ્મમાં કશોય ફેરફાર નથી થતો.

પૃથ્વીની ૩૦ કીલોમીટર નીચે ધગધગતો લાવારસ હોય છે. સુર્ય તો સાક્ષાત પ્રચંડ અગ્નિ જ છે. આવા સુર્ય અને ચંદ્ર પણ જેને પ્રકાશી શકતાં નથી પરંતુ જેની સત્તાથી સુર્ય અને ચંદ્ર પ્રકાશે છે તેવા બ્રહ્મમાં જેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત હોય તેને જગતની ક્ષુલ્લક ઘટનાઓ શું હચમચાવી શકે? આવી પ્રબુદ્ધ પ્રજ્ઞા કે જે હંમેશા આત્મભાવમાં સ્થિત રહે છે તે સર્વદા હર્ષ-શોક રહિત આત્માનંદમાં સ્થિત હોય છે.