ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

મારું નામ કવિતા અતુલ જાની છે. હું મારા પતિની મદદથી બ્લોગિંગ શીખું છું. મને મનગમતી વાતો અહીં મુકવાનો પ્રયત્ન કરીશ. હજુ મને ખાસ બ્લોગિંગ આવડતું નથી પણ ધીરે ધીરે મારા પતિની સહાયથી આવડી જશે તેવો દઢ વિશ્વાસ છે.


57 Comment(s)

  1. Rupen patel

    સપ્ટેમ્બર 3, 2010 પર 2:22 પી એમ(pm)

    કવિતાબેન તમને અને અતુલભાઈને નવા બ્લોગ માટે શુભેચ્છાઓ .
    કવિતાબેન તમારું બ્લોગજગતમાં હાર્દિક સ્વાગત છે .
    કવિતાબેન આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
    કવિતાબેન આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat



  2. Mita Bhojak

    સપ્ટેમ્બર 9, 2010 પર 12:27 એ એમ (am)

    કવિતાબહેન આપને બ્લોગ માટે શુભેચ્છા. આપના મનની વાતો માણવા મળશે.



  3. madhuvan1205

    સપ્ટેમ્બર 9, 2010 પર 7:20 એ એમ (am)

    શ્રી મીતાબહેન,
    “મધુવન”માં આપનું હાર્દિક સ્વાગત છે. પધારવા બદલ આભાર. અમને પ્રોત્સાહિત કરતાં રહેશો.



  4. ડૉ. ભરત મકવાણા ‘મિત્ર’

    સપ્ટેમ્બર 9, 2010 પર 2:41 પી એમ(pm)

    બ્લોગ જગત આપને જરૂર મિત્રો આપશે તથા સુંદર વાંચન પૂરું પાડશે.



    • madhuvan1205

      સપ્ટેમ્બર 14, 2010 પર 8:00 એ એમ (am)

      શ્રી ભરતભાઈ
      સારા મિત્રો અને સારુ વાંચન ખરેખર ભાગ્યશાળીઓને મળે છે. અને ભાગ્ય પુરુષાર્થથી જાગે છે. આપ જેવા ઉત્તમ ’મિત્ર’ અહીં મળશે અને સારુ વાંચન સાંપડશે તે આશાએ ઘણો આનંદ થાય છે.

      આભાર.



  5. venunad

    સપ્ટેમ્બર 13, 2010 પર 7:34 પી એમ(pm)

    બ્લોગ જગતમાં તમારા અને તમારા પતિશ્રીનો હાર્દિક આવકાર.
    “સાજ” મેવાડા



    • madhuvan1205

      સપ્ટેમ્બર 14, 2010 પર 8:03 એ એમ (am)

      શ્રી “સાજ” મેવાડાભાઈ

      હાર્દિક આવકાર બદલ આપનો આભાર.

      પહેલાં તો મને ખબર જ ન પડી કે “સાજ” મેવાડા શું છે? પછી તમારી સાઈટ ઉપર સુંદર કૃષ્ણજન્મનું સ્વરચિત પદ વાંચીને ખ્યાલ આવે છે કે ’સાજ’ તે આપનું ઉપનામ હોવું જોઈએ.



  6. madhuvan1205

    સપ્ટેમ્બર 15, 2010 પર 7:47 એ એમ (am)

    ભાઈજી

    આપનો વિષય વૈવિધ્ય વાળો બ્લોગ જોયો, આનંદ થયો. જુદા જુદા રંગોમાં લખો છો તે સારુ લાગે છે પણ જો બેકગ્રાઉન્ડ આછું રાખો તો ઉકલે.

    સ્વાગત બદલ આભાર.



  7. Daxesh Contractor

    સપ્ટેમ્બર 17, 2010 પર 9:38 એ એમ (am)

    અતુલભાઈ ભાગ્યશાળી છે કે આપના જેવા જીવનસંગિની મળ્યા… આપ એમના ખરા અર્થમાં ધર્મપત્ની છો. તમારા આરાધ્ય એવા શ્રી રામકૃષ્ણ પરમહંસદેવના આશીર્વાદ તમારા પર ઉતરો અને તમારી કલમથી તમને આત્મસંતોષ મળે અને અન્ય વાચકોને પ્રેરણાની પ્રાપ્તિ થાય એવી શુભેચ્છાઓ.



    • madhuvan1205

      સપ્ટેમ્બર 17, 2010 પર 11:32 પી એમ(pm)

      શ્રી દક્ષેશભાઈ,
      આપનું સ્વાગત છે. અતુલ પાસેથી જાણવા મળ્યું કે આપ શ્રી યોગેશ્વરજીના ભક્ત છો અને સ્વર્ગારોહણ જેવી સુંદર વેબ સાઈટનું સંચાલન કરી રહ્યાં છો. શ્રી યોગેશ્વરજીને મળવાનો લાભ અમને નથી મળ્યો પરંતુ શ્રી સર્વેશ્વરી મા ને મળવાનો તથા આશિર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર પ્રાપ્ત થયેલો. અચાનક જ એક વખત અજયભાઈ સાથે અંબાજી (સ્વર્ગારોહણ) જવાનું બનેલું. એક વખત અજયભાઈ અંબાજી જઈ રહ્યાં હતા ત્યારે એકાએક તેમને અતુલ યાદ આવ્યો અને તેમણે ફોન કરીને બસ ઉપડવાની ૧૫ મીનીટ અગાઉ પુછેલું કે તમારે સ્વર્ગારોહણ આવવું છે? અને આવેલી તકને ઝડપી લઈ અને માત્ર ૧૫ મીનીટમાં જ તૈયાર થઈને સ્વર્ગારોહણ જવા નીકળી પડેલા. ત્યાં મા ના સાનિધ્યમાં ખૂબ જ આનંદ થયેલો. મા સાથે થયેલા મૌન વાર્તાલાપનો લાભ મળેલો તેને માની દિવ્ય કૃપા જ ગણી શકાય. આપની શુભેચ્છા બદલ આભાર.



  8. Bhupendrasinh Raol

    સપ્ટેમ્બર 18, 2010 પર 12:57 પી એમ(pm)

    કવિતા બહેનશ્રી
    આપનું ગુજરાતી બ્લોગ જગત માં હાર્દિક સ્વાગત છે.



  9. madhuvan1205

    સપ્ટેમ્બર 19, 2010 પર 6:36 એ એમ (am)

    શ્રી ભુપેન્દ્રસિંહજી
    આપનો આભાર. આપનું “મધુવન” માં હાર્દિક સ્વાગત છે.



  10. laaganee

    સપ્ટેમ્બર 24, 2010 પર 10:18 એ એમ (am)

    બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે…..સૌથી વધુ તો આપના લેખની સચ્ચાઈ ગમી .
    આમ જ વિચારતા રહો …… લખતા રહો …. અને અમારી સાથે વહેંચતા રહો ….
    આપનો ખજાનો ખુલવાનો ઇન્તઝાર છે…….



  11. ઈશ્ક પાલનપુરી

    સપ્ટેમ્બર 26, 2010 પર 12:48 પી એમ(pm)

    ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે !

    સરસ શરૂઆત કરી છે .

    pls keep it up & up



  12. Madhav / Harshad

    ઓક્ટોબર 31, 2010 પર 6:24 પી એમ(pm)

    Hu Jaybhai na blog par thi Atulbhai na blog par ane tyathi ahi avyo. Saras blog che.. avato Rahis.

    Madhav



  13. chandravadan

    નવેમ્બર 22, 2010 પર 10:41 એ એમ (am)

    Kavitaben,
    May be 1st time to your Blog ??
    Congratulations !
    Welcome to Gujarati WebJagat !
    All the BEST Always !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Inviting you to my Blog Chandrapukar !



  14. Bina

    ડિસેમ્બર 8, 2010 પર 3:27 એ એમ (am)

    કવિતાબહેન ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે !



  15. પંચમ શુક્લ

    ડિસેમ્બર 23, 2010 પર 9:02 પી એમ(pm)

    સરસ બ્લોગ છે. રચનાઓની પસંદગી અને વૈવિધ્ય માણવા ગમે એવા છે.



  16. મયુર (ગુજરાતીસંસાર)

    ડિસેમ્બર 28, 2010 પર 5:26 પી એમ(pm)

    તમારો બ્લોગ આજે પહેલી જ વાર જોયો પણ ખુબ જ ગમ્યો…
    બસ આમ જ આગળ વધતા રહો તેવી શુભેચ્છા..

    અને સાથો સાથ તમને
    ગુજરાતીસંસાર – ગુજરાતીબ્લોગજગતનું આંગણું
    http://gujaratisansar.amigowork.com
    પર આવકારીએ છીએ..
    તથા મારા ટેક્નોલોજીકલ બ્લોગ http://gujaratisansar.wordpress.com/ પર પણ ક્યારેક આંટાફેરા કરજો..



  17. madhuvan1205

    ડિસેમ્બર 28, 2010 પર 7:48 પી એમ(pm)

    મયુરભાઈ

    શુભેચ્છા બદલ આભાર.

    લોકોની માન્યતા મુજબ આંટાફેરા કરવા એ તો અમારુ મુખ્ય કામ છે તેથી જરૂર અનુકુળતાએ આંટાફેરા કરશું તમે પણ આવતાં રહેજો.



  18. Govind Maru

    જાન્યુઆરી 24, 2011 પર 8:25 એ એમ (am)

    કવીતાબહેન ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દીક સ્વાગત છે..



  19. rajeshpadaya

    ફેબ્રુવારી 22, 2011 પર 7:36 એ એમ (am)

    શ્રી કવીતાબહેન ગુજરાતી બ્લોગ જગતની નવી ઈનિંગમાં આપનું હાર્દીક સ્વાગત છે.



  20. Hiral

    ફેબ્રુવારી 24, 2011 પર 11:04 પી એમ(pm)

    First time I came across this blog.
    Keep writing. very nice blog and good to know about ‘Madhuvan’.
    Please keep sharing all Gujarati and Hindi poems and Sanskrit stanzas from your children’s text books. will love to read those childhood memories.



  21. Arvind Adalja

    માર્ચ 6, 2011 પર 2:31 પી એમ(pm)

    આજે આપના બ્લોગની અનાયાસે મુલાકાત લેવાઈ ગઈ ! આપે આપના જીવનસાથીના સહયોગથી બ્લોગની યાત્રા શરૂ કરી જાણી આનંદ સાથે ધન્યવાદ આપને અને આપના જીવનસાથીને પણ કે જેણે આપને બ્લોગ માટે પ્રોત્સાહિત કર્યા અને ગૃહિણી ઉપરાંત બ્લોગ જગતનો પરિચય જ નહિ પણ ભાગ લેતા પણ કર્યા ! અભિનંદન !આપના આ સુંદર પ્રયાસને સફળતા મળે તેવી શુભેચ્છાઓ સાથે બ્લોગ જગતમાં હાર્દિક સ્વાગત !
    સ-સ્નેહ
    અરવિંદ



  22. ડો. કિશોરભાઈ એમ. પટેલ

    મે 20, 2011 પર 5:10 એ એમ (am)

    આદરણીયશ્રી. અતુલભાઈ અને બહેનશ્રી. કવિતાબેન

    બહેન આપ સુંદર લખો જ છો, અને હજુ વધારે સુંદર લખવાની શક્તિ

    આપ પાસે છે.

    કવિતાબેન આપની કલમમાંથી સરિતા વહે છે.



  23. DR.MAHESH RAWAL

    જૂન 19, 2011 પર 11:35 એ એમ (am)

    કવિતાબેન…..
    બ્લોગિંગ એ ઘણું-ઘણું શીખવા /જાણવાનું સાંપ્રત સમયમાં બહુજ સશક્ત માધ્યમ સાબિત થઈ રહ્યું છે.
    આપણી માતૃભાષા તો જ્ઞાનનો દરિયો છે સહુને સહુનાં ગજાનું અહીંથી પ્રાપ્ત થઈ જ રહે છે.
    દરેકની પાસે પોતપોતાનાં વિચારોનું વૈવિધ્ય હોય અને સંતુષ્ટિનું એક આગવું લેવલ હોય,આપ આ ક્ષેત્રમાં પદાર્પણ કરી તમારાં લક્ષ્યને અવશ્ય સિદ્ધ કરી શક્શો.
    શ્રી અતુલભાઈનું સદ્ધર માર્ગદર્શન સોનામાં સુગંધ જેવું થઈ રહેશે એમાં લેશ પણ શંકા નથી.
    મારી વેબસાઈટ http://www.drmahesh.rawal.us પર, હું મારી નવી લખાતી ગઝલો પોસ્ટ કરતો રહું છું.સમય ફાળવી મુલાકાત લેતાં રહેશો.
    મારા લાયક કંઈ પણ સેવા હોય તો નિઃસંકોચ જણાવશો-આનંદ થશે.
    અભિનંદન અને શુભેચ્છાઓ…….



  24. praheladprajapati

    ઓગસ્ટ 2, 2011 પર 8:00 એ એમ (am)

    કવિતા બહેન હાર્દિક સ્વાગત બ્લોગ જગતમાં



  25. viranchibhai. c. raval

    સપ્ટેમ્બર 11, 2011 પર 9:19 પી એમ(pm)

    તમારો બ્લોગ આજે પહેલી જ વાર જોયો પણ ખુબ જ ગમ્યો…



  26. આકાશ ગૌસ્વામી

    ઓક્ટોબર 21, 2011 પર 1:37 પી એમ(pm)

    કવીતાજી ધીમે ધીમે ખબર પડ્વા લાગસે… best of luck



  27. nilam doshi

    નવેમ્બર 22, 2011 પર 2:30 પી એમ(pm)

    it is never too late to wish someone..heartily..
    so may be am so late..still like to welcome and like to wish you all the best in each field of life..
    have a great time
    nice blog..



  28. Dilip Gajjar

    જાન્યુઆરી 26, 2012 પર 2:54 એ એમ (am)

    Kavitaben..aapno blog sunder chhe..Atulbhai to jaanita j laage pan aapna blog ma pahelivaar ahi aavyo..khub j gamyu ke aapne pan saahityama utsaah chhe..abhinandan.



  29. અમિર અલિ ખિમાણિ

    માર્ચ 2, 2012 પર 10:37 એ એમ (am)

    ક્વિતા બેન મને મધુવન મા સરલ ગિતા હાય્કુ વિશેશ ગમિ આ એક જિવન ઉપ્યોગિ ક્રુતિછે ગિતા બોધ સ્રર્વ માનવ માટે છે ધર્મ નો કોય ભેદ ભાવ નથિ મારા જેવા કેટ્લાય પાકિસ્તાનિ ગુજરાતિ ઓ ને આ બોધ પાઠ માથિ ઘણુ જાણ્વા મલે છે.હવે નિત સ્વારે ચા પિધા પછિ હુ એક પાઠ વાન્ચિ ચિન્ત્ન કરુછુ આપ તેમ્જ શ્રિ અતુલ ભાઇ નો આવા સુન્દર સાહિત્ય આપવા માટે આભાર. મારિ શુભેછા અને સ્દ્ભાવ્ના સ્વિકાર્જો કરાચિ પાકિસ્તાન થિ અમિર અલિ ખિમાણિ ના ન્મ્સ્તે.



    • Atul Jani (Agantuk)

      માર્ચ 4, 2012 પર 12:40 પી એમ(pm)

      શ્રી અમીર અલી ભાઈ,

      આપની વાત સાચી છે. ગીતા બોધ સાંપ્રદાયિક કે ધાર્મીક બોધ નથી. મનુષ્ય માત્રને માટે તે કલ્યાણ કારી છે. દેશ, ભાષા, ધર્મ વગેરે સીમાડાઓ માત્ર વ્યવહારીક હોય છે. પારમાર્થિક દૃષ્ટીએ ક્યાંય કશો ભેદ નથી. સઘળું અદ્વૈત છે. ગીતા વિભિન્ન જીવોની પાછળ રહેલ એક જ સત્તા અને દિવ્યતાને જોવાની દૃષ્ટિ આપે છે. જીવનને વધારે જીવન સભર કેમ બનાવવું તેની સમજણ આપે છે.

      શ્રીમદ ભગવદ ગીતાનો યથાર્થ અર્થ તો માત્ર ગીતાને ગાનારો સમજાવી શકે. આપણને જેટલું સમજાય તેટલું સમજવાનો પ્રયાસ કરીએ. જેમ જેમ સમજતા જઈએ તેમ તેમ વધુ સમજાય અને તેમ તેમ જીવનમાં પણ તેનો અમલ વધારે કરી શકાય.

      આવતા રહેજો.



  30. Vinod R. Patel

    માર્ચ 23, 2012 પર 11:44 પી એમ(pm)

    કવિતાબેન અને અતુલભાઈ ,

    આપના બ્લોગની મુલાકાત લઈને ખુબ આનંદ થયો.સરસ માહિતીનું સંકલન કરી વાંચવાનો
    આનંદ આવે એવા લેખો-કાવ્યો મુક્યા છે એ સરાહનીય છે.અભિનંદન અને શુભેચ્છાઓ.
    શ્રી જય વસાવડાનો ગુજરાત ઉપરનો લેખ ખુબ સુંદર શૈલીમાં લખાયો છે .
    આપ મારા બ્લોગની મુલાકાત લઈને પ્રતિભાવ આપો છો એ બદલ આભાર.
    વિનોદ આર.પટેલ
    http://www.vinodvihar75.wordpress.com



  31. readsetu

    માર્ચ 25, 2012 પર 9:43 પી એમ(pm)

    welcome Kavita & wish u all the best… 4 everything…

    lata hirani



  32. hituwrites

    મે 16, 2012 પર 7:03 પી એમ(pm)

    કવિતાબહેન હવે “તમારા વિશે ” લખ્યુ છે એ બદલી નાખો. તમને સરસ આવડી ગયુ છે…. તમારો બ્લોગ વાંચવો ગમ્યો…



  33. ASHOK M VAISHNAV

    જૂન 2, 2012 પર 1:10 પી એમ(pm)

    ‘કવિતા'(બહેન)ને “કવિતા” જગતમાં તો મોસાળે આવ્યા જેવું ગણાય, હા જો કે મોસાળ ‘બ્લોગ’ વિસ્તારમાં નવા નવા રહેવા આવ્યાં હોય એટલે થોડું અજાણ્યું લાગ્યું હશે તે સમજી શકાય તેવું છે.
    જો કે તે પછીની બ્લૉગ પરની ગતિવિધિઓ જોતાં એ પણ જોઇ શકાય છે કે નવી જગ્યાનો એ સ્વાભાવિક ખચકાટ આજના સબળ આત્મવિશ્વાસના ધસમસતા પ્રવાહમાં ખૂબ મજા કરતો તણાતો ગયો છે.
    ‘કવિતા’વાંચીને માણવાથી વધારે મારી સમજ આ સાહિત્ય પ્રકાર માટે નથી તેથી મારો આ પ્રતિભાવ એક અનુભવી સામાન્ય વ્યાવસાયિકની સમજથી વધારે નથી તે સ્વિકારશો.



  34. jjkishor

    ઓગસ્ટ 4, 2012 પર 1:34 પી એમ(pm)

    કાવ્ય અને અધ્યાત્મ ભેગાં થાય તો ?

    આધ્યાત્મિક કવિતા કે પછી કાવ્યાત્મક અધ્યાત્મ ?!

    નવા બ્લૉગને સ્વાગતમ્.



  35. madhuvan1205

    ઓગસ્ટ 5, 2012 પર 2:22 પી એમ(pm)

    આભાર અને આદર સહિત પ્રણામ.



Leave a reply to venunad જવાબ રદ કરો