હું તું અને આ
સઘળું શાશ્વત છે
કાલે ય હશે
હું ને તું આ રાજવી હતા પહેલાં ના,
ભવિષ્યમાં પણ ના હશે એમ માનતો ના.
સરળ ગીતા ડાઉન લોડ કરવા અહીં ક્લિક કરશો.
હું તું અને આ
સઘળું શાશ્વત છે
કાલે ય હશે
હું ને તું આ રાજવી હતા પહેલાં ના,
ભવિષ્યમાં પણ ના હશે એમ માનતો ના.
સરળ ગીતા ડાઉન લોડ કરવા અહીં ક્લિક કરશો.
Posted by madhuvan1205 માં હાઈકુ ટૅગ્સ:તું, રાજવી, શાશ્વત, હું
સત્યમ - શિવમ - સુંદરમ |
Visit this group |
Atul Jani (Agantuk)
જાન્યુઆરી 16, 2012 પર 1:29 પી એમ(pm)
અર્જુનને શોક થાય છે કે આટ આટલા સગા વહાલાઓ આ યુદ્ધમાં મરાઈ જશે તેથી આવું યુદ્ધ કરવું હિતાવહ નથી. તેને સમજાવતા ભગવાન કહે છે કે હું, તું અને આ રાજવીઓ અત્યારે છે અને પહેલા ન હતા તેવું નથી વળી તેઓ હણાશે તો યે પાછા નહીં હોય તેવું યે નથી. અણસમજણને કારણે તું એવું માની બેઠો છો કે આ બધા હણાઈ જવાથી હું તુ કે તેઓ નહીં રહે.
Atul Jani (Agantuk)
જાન્યુઆરી 16, 2012 પર 4:46 પી એમ(pm)
અહીં પ્રશ્ન થઈ શકે કે :
આજે ક્યાં અર્જુન / શ્રી કૃષ્ણ અને તે બધાં રાજવીઓ છે?
અર્જુનને ય ઘણાં પ્રશ્નો થશે. આપણે એક એક શ્લોકની સાથે આપણને ઉઠતા પ્રશ્નો નોંધતા જઈએ અને પછી તેના જવાબો મળે છે કે કેમ તે તપાસીએ.
શ્રીમદ ભગવદ ગીતા ઉતાવળે વાંચવાનું પુસ્તક નથી. એક શ્લોક તેનો અર્થ જેટલું ગહનતાથી વિચારીએ તેટલો વધારે સમજાય. સઘળાએ ઉપનિષદોનો સાર ભગવદ ગીતામાં સમાવિષ્ટ કરેલ છે તેથી કેટલાક શ્લોકોના સંદર્ભ માટે ઉપનિષદ જોવા જોઈશે આગળ ઉપર તો સ્પષ્ટ કહ્યું છે કે અમુક બાબ્તો માટે બ્રહ્મ સૂત્ર જોવું.
શ્રીમદ ભગવદ ગીતા ચિંતન / મનન અને નિદિધ્યાસન કરવા માટેનો ગ્રંથ છે. જેટલી વખત વાંચીએ તેટલી વખત વધારે સમજણ કેળવાય.